સોમવાર, 14 મે, 2012

ગુમ થતા બાળકો જાય છે ક્યા?



શહેર માંથી છેલ્લા ઘણા સમય થી ગુમ થતા બાળકો પાછા ના મળતા અકળાયેલા વાલીઓએ શહેરના લો ગાર્ડન ખાતે એક મીટીંગ યોજીને પોતાના લાડકાઓને પોલીસ શોધવામાં નિષ્ફળ રહ્યા અંગેની ભડાસ મીડિયા કર્મીઓ આગળ કાઢી હતી, ત્યારે પોલીસ અને ગુમ થયેલા બાળકોના વાલીઓ તેમજ સમાજના અનેક નાગરિકોને એક સવાલ જરૂરથી થતો હશે કે ગુમ થયેલા આ બાળકો જાય છે ક્યાં? સામાન્ય રીતે ગુમ થતા બાળકોને કોઈ અસામાજિક તત્વો ઉઠાવીને ભીખ માંગવાના ધંધામાં ધકેલી દેતા હોય છે, તેમજ કેટલાક બાળકોને દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દેતા હોય છે. ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં લાપત્તા થયેલા ૧૭૩૧ બાળકોનો આજદીન સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. ત્યારે પોલીસની કામગીરી પર અનેક આશંકાઓ વ્યક્ત થઇ રહી છે શું પોલીસની બાળકો શોધવાની પદ્ધતિ ખોટી છે? કે પછી પોલીસ તરફથી આ બાબતોને ગંભીર રીતે લેવાતી નથી? આ અને આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે સમાજ માં બાળકોના ગુમ થવા બાબતે સમાજના જાગૃત નાગરીકોએ એક થવું પડશે અને એક અલગથી બાળકોના અપહરણ માટે સ્ટ્રોંગ કાયદા અને વ્યવસ્થાની માંગ કરવી પડશે. આ ઉપરાંત બાળકોના વાલીઓએ બાળકોની સાવચેતી રાખવી પડશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો