સોમવાર, 14 મે, 2012

ગુજરાતમાં લેપ્રસી દર્દીઓ માટે કોઈ પેંશન સ્કીમ ન હોવાથી અનેક દર્દીઓ ભીખ માંગવા મજબુર


દિલ્હીમાં એક લેપ્રસી દર્દીને ૧૮૦૦ રૂપિયા પેંશન જ્યારે સ્વર્ણિમ ગુજરાતમાં રૂપિયા.
કોઈ નાણાકીય આધાર હોવાથી નિરાધાર બનેલા લેપર્સ ભીખ માંગવા મજબુર
અમદાવાદ શહેરમાં ૩૦૦ લેપર્સ અન્ય પર નિર્ભર.



સમગ્ર ગુજરાતમાં વિકાસનો ડંકો વગાડતી ગુજરાત સરકાર પાસે શું એટલા નાણાં પણ નથી કે તેઓ અમને મામુલી ૧૦૦૦ રૂપિયાનું પેંશન આપી શકે?   સવાલ છે વાયબ્રન્ટ ગુજરાતમાં ભીખ માગી રહેલા કરીમભાઈના કે જેઓ અમદાવાદની એક લેપ્રસી સોસાયટીમાં રહે છે અને ભીખ માંગીને પોતાનું પેટીયું રળે છે. ગુજરાતમાં કરીમભાઈ જેવા અનેક લેપ્રસી દર્દીઓ છે કે જેઓના હાથ પગના આંગળા ખરી પડતા હાલ કોઈ કામ કરી શકતા હોવાથી ભીખ માંગવા મજબુર છે એક સર્વે મુજબ ગુજરાતમાં ૭૦૦૦ લેપ્રસીના દર્દીઓ છે, જેમાં માત્ર અમદાવાદમાં ૫૦૦ જેટલા દર્દીઓ ત્રણ અલગ અલગ સોસાયટીમાં રહે છે પરંતુ દર્દીઓમાં ૫૦% દર્દીઓ એવા છે કે જેમની પાસે નાણાં કમાવવાનો કોઈ વિકલ્પ હોવાથી ભીખ માંગવા મજબુર છે.
ગુજરાતમાં લેપ્રસીના દર્દીઓની દયનીય સ્થીતી છે પરંતુ સરકાર સમગ્ર પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરી રહી હોય તેવા આરોપ સાથે લેપ્રસીના દર્દીઓએ  પોતાને પેંશન આપવાની ભૂતકાળમાં અનેક વાર માંગ કરી હોવાનું જણાવ્યું હતું, સત્ય જીવન લેપ્રસી સોસાયટીના સેક્રેટરી ખુર્શીભીએ જણાવ્યું હતું કે " ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓની સ્થીતિ અન્ય રાજ્યોની સરખામણીમાં દયનીય છે, લેપ્રસી એક એવો રોગ છે કે જેનો ભોગ બનનાર માણસ કોઈ કામ વ્યવસ્થિત નથી કરી શકતો જેને કારણે હાલ પરિસ્થીતી છે કે ગુજરાતમાં અનેક લેપર્સ ભીખ માંગી પોતાનું પેટીયું રળી રહ્યા છે જો દિલ્હી અને મહારાષ્ટ્ર સરકાર લેપ્રસીના દર્દીઓને પેંશન આપીં શક્તિ હોય તો પછી ગુજરાત સરકાર કેમ નહિ?."

ક્યા રાજ્યમાં કેટલું પેંશન લેપ્રસીના દર્દીઓને આપવામાં આવે છે?

ક્રમ               રાજ્ય       પેંશન
               દીલ્હી        ૧૮૦૦ 
               કર્ણાટક      ૧૦૦૦ 
               ગુજરાત    

ગુજરાતમાં લેપ્રસી પર કાર્ય કરી રહેલા જન સંઘર્ષ મંચના કન્વીનર જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે " નેનો અને ફોર્ડ કંપનીને ૩૨૦૦૦ કરોડ અપાય, ૯૦૦૦ કરોડ ટેક્સની માફી એસ્સારને અપાય અને લગભગ ૨૦૦ કરોડના ખર્ચે સદભાવનાના ગાણાં ગવાય તો સમાજના તરછોડાયેલા ગરીબ એવા કુષ્ઠ રોગ પીડિતોને ચપટીક પેંશન આપી શકાય? જો દીલ્હી સરકાર ૧૮૦૦ રૂપિયા પેંશન આપતી હોય તો પછી ગુજરાત સરકારે ૨૮૦૦ રૂપિયા પેંશન આપીને સાચી સદભાવના સાબિત કરવી જોઈએ નહીતર ગરીબ કલ્યાણ મેળાના ધતિંગ બંધ કરી દેવા જોઈએ"
          જ્યારે અંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે " ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓ માટે કામો થઇ રહ્યા છે, અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત રાજ્ય સાથે કરી શકાય, ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓ માટે સ્વેછીક સંસ્થાઓ પણ સારા કામો કરી રહી છે, ભવિષ્યમાં સરકાર રક્તાપીતના દર્દીઓ માટે કોઈ પેંશન સ્કીમ લાવે બાબતે અત્યારે હું કઈ ના કહી શકું" -જયનારાયણ વ્યાસ (આરોગ્ય મંત્રી -ગુજરાત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો